વાંચકોને ખાસ વિનંતી કે તમે ભૂતને માનતા હોવ કે ન હોવ ભૂતના અસ્તિત્વની ચર્ચામાં પડ્યા વગર આ નવલિકાને ફક્ત આનંદ ખાતર વાંચવી. મારી અત્યાર સુધીની સસ્પેન્સ, સામાજિક અને બોધપ્રદ નવલિકાઓ વાંચ્યા પછી કેટલાક વાંચકોની ખાસ ફરમાઇશ રહેતી કે હવે કોઈ હોરર નવલિકા લખો. મારા એવા પાઠકોની લાગણીને માન આપતા જ મેં આ ભૂતકથા લખી છે. ચીલાચાલુ ભૂતની ખૂનખરાબાથી દુર રહી મેં આ ભૂત કથા લખી છે. જે મારા પાઠકોને જરૂર ગમશે. મારી અત્યાર સુધીની વાર્તાઓને જે રીતે પાઠકોએ વધાવી તે જ રીતે આ નવલિકાને પણ તેઓ સહર્ષ સ્વીકારશે એવી લાગણી સાથે આપનો
લેખક
પ્રશાંત સુભાષચંદ્ર સાળુંકે